In the midst of the Mahabharata


કૃષ્ણ સમયને બાંધી શક્યા
કારણ કે
તેમણે ઘડિયાળ ન્હોતી બાંધી!
- મિલિન્દ ગઢવી

( 'મોનો-ઇમેજ' ; સપ્ટેમ્બર-૨૦૦૮ )

I am tired of this clock


ઘડિયાળનું ટીક-ટીક
monotonous લાગવા માંડે
ત્યારે સમજવું
કે
તમારી પાસે
સમય જ સમય છે!!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૧૬-૫-૨૦૦૮ )

Talking to the desert


સહરાને, ઝાંઝવાને જૂની કથા કહું છું
સ્પર્શ્યો'તો વાદળોને એ વારતા કહું છું
- મિલિન્દ ગઢવી

('શબ્દસૃષ્ટિ' ; ઓગસ્ટ-૨૦૦૮)